ભુજમાં મકાનમાં આગ લાગતા બે લોકોના મોત
Live TV
-
પરિવારો વચ્ચેના વિવાદના પગલે મકાનમાં આગ લગાવી હતી.
ભુજના વંડી ફળીયામાં આવેલ રહેણાંકી મકાનમાં મોડી રાત્રિનો બનાવ આગ લાગી હતી. બે પરિવાર વચ્ચે મકાન લઈને છેલ્લા 9 વર્ષથી વિવાદ ચાલતો હતો. બે શખ્સો રાત્રીના સમયે મકાનમાં પેટ્રોલ છાંટી ને મકાનમાં આગ લગાડી હતી. મકાનમાં આગની ઘટનામાં માતા પુત્રીના મોત થયા હતા.
તો અન્ય ત્રણ લોકો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલે પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી હતી.
