ભાજપ ચૂંટણી માટેનો સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે લોકોના અભિપ્રાય લેશે
Live TV
-
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનો સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી લોકોના અભિપ્રાય લેશે. રાજ્યની 182 વિધાસનભા બેઠકો માટે જાહેર જગ્યાઓ પર એક સૂચન પેટી રાખવામાં આવશે, જેમાં પોસ્ટ કાર્ડ લખીને લોકો ગુજરાતને કેવું જોવા માંગે છે તેનો અભિપ્રાય આપી શકશે. વેબ સાઇટ પર લોગ ઇન થઈને પણ પોતાનો અભિપ્રાય આપી શકે છે. આ અભિયાન 5 થી 15 નવેમ્બર સુધી ચાલશે.
78 78 18 21 82 નંબર પર પણ લોકો તેમના અભિપ્રાય આપી શકશે. આ સાથે BJP gujarat સોશિયલ મીડિયા પર પણ પોતાના અભિપ્રાય આપી શકે છે.
આ મામલે ભાજપ અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપની સરકારે 5 વર્ષમાં આપેલા 78 ટકા વચનો પુરા કર્યા છે. અને લોકો જે સૂચનો આપશે તે ઉપર ધ્યાન આપવામાં આવશે.
