ભાવનગર શહેરની સ્થાપના દિન નિમિત્તે, ત્રિ-દિવસીય ભાવનગર કાર્નિવલનો આરંભ
Live TV
-
ભાવનગર શહેરની સ્થાપનાને ૨૯૯ વર્ષ પૂર્ણ થઈ ૩૦૦ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી પ્રેરિત અને ભાવનગર જન્મોત્સવ સમિતિ આયોજિત ત્રિ-દિવસીય ભાવનગર કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ થયો છે. આ કાર્નિવલનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 1723 માં અખાત્રીજના દિવસે ભાવસિંહજીએ ભાવનગરનો પાયો નાખ્યો હતો તે શહેર આજે ૩૦૦ માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. આ ખાસ અવસરે સાંઈરામ દવે, કિંજલ દવે અને પાર્થિવ ગોહિલે કલાના ઓજસ પાથર્યા હતા.તો આ અવસરે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પળી હતી.
