ભેજના કારણે ખાતરની થેલીમાં વજન ઓછુ હોઇ શકે છેઃ GSFC
Live TV
-
ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે બે કમિટીની રચના,એક સપ્તાહમાં તૈયાર કરાશે રિપોર્ટ
ડી.એ.પી ખાતરમાં ઘટને લઈ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ઉઠેલી ફરિયાદો મામલે GSFCએ કહ્યુ કે GSFC 59 વર્ષ જૂની કંપની છે.આજદીન સુધી આજદીન સુધી ખાતરમાં ઘટની ફરિયાદ આવી નથી.કંપની તમામ કામગીરી ખેડૂતલક્ષી કરે છે અને કંપનીનો ઈરાદો ગેરરીતિ આચરવાનો હોઈ ન શકે.ખાતરમાં ઘટના મામલે GSFCએ વધુ કહ્યું કે ડી.એ.પી ખાતરની થેલીઓમાં ભેજનું પ્રમાણ ઘટનાવાને કારણે વજન ઓછું હોઈ શકે.ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડરના ધારાધોરણ મુજબ ડી.એ.પી ખાતરમાં મહત્તમ 2.5 ટકા ભેજનું પ્રમાણ હોય છે.પરંતુ હવામાનમાં થતા ફેરફારથી ખાતરના સ્થળાંતર દરમિયાન ભેજ ઘટવાની શક્યતા હોય છે.અને આ ભેજ ઉડવાને કારણે જ 50 કિલોની થેલીમાં 100થી 150 ગ્રામ વજનનો ઘટાડો નોંધાયો છે.ટેકનિકલ ખામીને કારણે આ ઘટના બની છે.પરંતુ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને તે માટે ઉચ્ચસ્તિય 2 કમિટીની રચના કરવામાં આવી છે.જે એક સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરશે.
