મગફળીની ટેકાના ભાવે ખરીદી ટૂંક સમય માટે મુલવતી રખાઈ
Live TV
-
આજથી શરૂથનાર મગફળીની ટેકાના ભાવે ખરીદી ટૂંક સમય માટે મુલતવી રાખવામાં આવી છે. રાજ્યમાં થયેલા વરસાદના કારણે મગફળીમાં ભેજ આવી જાય છે, જેથી મગફળીની ગુણવત્તા ન મળતાં ખેડૂતોને હેરાનગતી થઈ શકે છે.
આજથી શરૂથનાર મગફળીની ટેકાના ભાવે ખરીદી ટૂંક સમય માટે મુલતવી રાખવામાં આવી છે. રાજ્યમાં થયેલા વરસાદના કારણે મગફળીમાં ભેજ આવી જાય છે, જેથી મગફળીની ગુણવત્તા ન મળતાં ખેડૂતોને હેરાનગતી થઈ શકે છે. કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભેજવાળા વાતાવરણને પરિણામે મગફળી ભેજવાળી હોય તેથી ખેડૂતોને FAQ મુજબ ગુણવત્તા ન મળતા મગફળી રિજેક્ટ થવાની શક્યતા રહે છે. તેથી આવા સંજોગોમાં ખેડૂતોને હેરાનગતિ ન થાય તેને ધ્યાને લઇને ખેડૂતોના હિતમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આગામી 26મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે.
