મગફળી મામલે આર.સી.ફળદુએ આપ્યું નિવેદન
Live TV
-
નાફેડના અધ્યક્ષને પત્ર લખી આપ્યો જવાબ.
મગફળી મામલે આર.સી.ફળદુએ નાફેડના અધ્યક્ષને પત્ર લખી જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે, ભારત સરકારના ટેકાના ભાવ ઉપરાંત ગુજરાત સરકારે વધારાનું બોનસ આપીને મગફળી ખરીદી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ખરીદી વ્યવસ્થાપન તંત્રમાં નાફેડ પોતાની જવાબદારી ચૂક્યું છે. ગુજરાત રાજયમાં મગફળી, અડદ, કપાસ, તુવેર, ચણા અને રાયડા જેવા પાકોનું ખેડૂતોને બજાર ભાવ કરતાં ઊંચી કિંમત આપી મોટા પ્રમાણમાં ખીરીદી કરાવેલ છે. ઉલ્લેખનીય છે કે, નાફેડના અધ્યક્ષ દ્વારા મીડિયા સમક્ષ જે પત્ર જાહેર કર્યો છે તે સંદર્ભે કૃષિમંત્રીએ પત્ર પાઠવ્યો છે.
