મણીનગર ખાતે નવા "ફાયર સ્ટેશન - ફાયર સ્ટાફ કવાટર" નું લોકાર્પણ
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોની સુખાકારી અને સલામતી જળવાઈ રહે તે હેતુથી આજે અમદાવાદમાં દક્ષિણ ઝોનમાં મણીનગર ખાતે તેમજ નવા પશ્ચિમ ઝોનમાં પ્રહલાદનગર ખાતે ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ ક્વાર્ટ્સનું મેયર બીજલબેન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય કિશોર ચૌહાણ, ફાયર અધિકારીઓ તથા એએમસીના કોર્પોરેટરો તથા દંડક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મેયર બિજલબેને જણાવ્યું હતું કે, હવે અમદાવાદ શહેરને નવુ રૂપ આપી રહ્યા છીએ, ત્યારે આવા અદ્યતન ફાયર સ્ટેશનનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે અને લોકોને સારી સગવડો સાથે સલામતીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
