મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હસ્તકલા ખરીદ-વેચાણ સંમેલનનો પ્રારંભ
Live TV
-
રાજ્યના હસ્ત કલા - હાથશાળ ઉદ્યોગના કારિગરોને પ્રોત્સાહિત કરવા તેમજ તેમને યોગ્ય આર્થિક વળતર મળે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ પગલાં લીધા છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય હસ્તાકલા ખરીદ - વેચાણ સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં 100 આંતરરાષ્ટ્રીય અને દેશભરના 200 કલા કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 150થી વધુ કૃતિઓનું નિર્દશન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતના હસ્તકલા ઉદ્યોગને વિશ્વ મંચ ઉપર પ્રસિદ્ધ કરવાની નેમ વ્યક્ત કરી હતી. આજથી શરૂ થનાર આ સંમેલન 6 ઑગસ્ટ સુધી ચાલશે.
