માહિતી ખાતાના અધિકારી પુલક ત્રિવેદી લિખિત "ટૂંકુ ને ટચ" પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન
Live TV
-
સ્વસ્થ મન અને સંવેદનશીલતા હોય ત્યારે સાહિત્યનું થાય છે સર્જન-વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી ખાતાના અધિકારી પુલક ત્રિવેદીના પુસ્તક ટુંકને ટચ નું વિમોચન કર્યું હતું. મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું , કે નાના એવા સ્પાર્કથી કોઇનું જીવન બદલાય , તે જ સાચું સાહિત્ય કહેવાય. સંવેદના જાગૃત થાય તો જ સર્જન થાય. સંવેદના બુઠ્ઠી હોય , તો કોઇની વેદના સમજાય નહીં અને સંવેદના સમજાય નહીં તો સાહીત્ય સર્જન થઇ શકે નહીં. આ પ્રસંગે, કટાર લેખક જય વસાવડા ગાંધીનગર સમાચારના કૃષ્ણ કાન્ત ઝા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા
