રાજ્યભરની સરકારી શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ 2019નું આયોજન
Live TV
-
રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ અને સરકારી માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ- 2019નું આયોજન કરવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તાર માટે ,તારીખ 13 અને 14 જૂન 2019 ,,એમ બે દિવસ અને શહેરી વિસ્તાર માટે તારીખ 15 જૂન 2019ના રોજ યોજાશે.
શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરી બેન દવેની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે શાળા પ્રવેશોત્સવ 2019 અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ શિક્ષણ સેવા કાર્યમાં જોડાવા આહવાન કર્યુ હતુ.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ,શાળા સંબંધિત ક્લસ્ટરનો રિવ્યુ કરવામાં આવશે. જેમાં, વિદ્યાર્થીઓની સંખ્યા, ઓરડા, મેદાન, સેનીટેશન, પાણીની સુવિધા સિવાય અનેક વિગતોની તપાસ થશે.
