મિની રાજઘાટ એવા મહાદેવ ગ્રામ ખાતે બાપૂને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
Live TV
-
મહાત્મા ગાંધીના નિધન બાદ ગૌરી શંકર જોષી દ્વારા બાપૂની અસ્તિઓને અહીં મુકવામાં આવી હતી જે આજે મિની રાજઘાટ તરીકે પણ ઓળખાય છે.
મીની રાજઘાટ તરીકે ઓળખાતા અરવલ્લી જિલ્લાના મહાદેવ ગ્રામ બાકરોલ ખાતે આવેલા પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. પૂજ્ય બાપૂની 150મી જન્મ જ્યંતિને લઇને મોડાસા તાલુકા સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મહાદેવ ગ્રામ ખાતે પહોંચ્યા હતા. ખાસ કરીને શાળાના બાળકો અહીં પહોંચી બાપૂને શ્રદ્ધાંસૂમન અર્પણ કરી સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. પૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ ચૌહાણ સહિત ગ્રામિણો અને સામાજિક સંસ્થાઓના સભ્યો અહીં વહેલી સવારે પહોંચી બાપૂને નમન કર્યા હતા. આ સાથે જ અહીં ખાદીનું વિતરણ અને ખાદી વિષે માહિતી પણ લોકોને આપવામાં આવી હતી. અંધશ્રદ્ધાથી દૂર રહેવા પણ લોકોને અપીલ કરતો કાર્યક્રમ બાળકો દ્વારા યોજાયો હતો.
