મુખ્યમંત્રીએ ખાનગી તબીબોને તેમની ઓપીડી સેવા ચાલુ રાખવા માટે તાકીદ કરી
Live TV
-
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ, કે હવે કોરોના વાયરસને કારણે ચિંતાનો વ્યાપ વધી રહ્યો છે. મુ્ખ્યમંત્રીએ ગુજરાતના મેડીકલ એસોશીએશનના હોદેદારો સાથે ચર્ચા કરી હતી અને કોરોના સામેની લડતમાં સરકાર સાથે જોડાવવા માટે તાકીદ કરી હતી. ખાનગી તબીબોએ જણાવ્યુ હતુ તે તમામ તબીબો સરકાર સાથે જોડાવવા માટે તૈયાર છે. હાલ ગુજરાતમાં એક હજાર ફીઝીશીયન અને ૩૦૦ એનેસ્થેટસ્ટની જરૂર છે. મુખ્યમંત્રીએ ખાનગી તબીબોને તેમની ઓપીડી સેવા ચાલુ રાખવા માટે તાકીદ કરી છે. અને જો ઓપીડી સેવા દરમિયાન કોઇ કોરોના શંકાસ્પદ દર્દી જણાય. તો તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં મોકલી આપવા જણાવવામાં આવ્યુ છે. જેથી કોરોનાના કેસોનો શોધવામાં સરળતા રહે.
