મુખ્યમંત્રીએ 80મા સ્વતંત્રતા પર્વે રાજ્યના નાગરિકોની સુવિધા અને સુખાકારી માટે કરી મહત્વપૂર્ણ જાહેરાતો
Live TV
-
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પાત્રતા ધરાવતા પરિવારને આવાસ બનાવવા માટે જો ગ્રામ પંચાયતો પાસે જમીન ઉપલબ્ધ ન હોય, તો સરકાર ખાનગી જમીન ખરીદીને વિનામૂલ્યે પ્લોટ ફાળવશે.
રાજ્યના જુદા-જુદા 214 રસ્તાઓના 2010 કિલોમીટરના નવીનીકરણ અને સુધારણા માટે આ રકમ ફાળવવામાં આવશે, જેમાં કોન્ટ્રાક્ટરની મેન્ટેનન્સ લાયાબિલિટી 8 થી 10 વર્ષની રાખવામાં આવી છે.રાજ્યની આંગણવાડીઓમાં આવતા 16 લાખથી વધુ બાળકોના ગરમ પૂરક પોષક આહાર માટે અગાઉ અપાતા બાળક દીઠ રોજના રૂ. 5.10ના દરને વધારીને રૂ. 8.50 કરવામાં આવ્યો છે.વિદેશ અભ્યાસ લોનની આવક મર્યાદામાં વધારો: બિનઅનામત વર્ગોના યુવાઓને વિદેશ અભ્યાસ માટે ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી લોન માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ. 6 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે.
