મુખ્યમંત્રી દ્વારા દુષ્કર્મના કેસની કાર્યવાહી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવવાઈ
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ કેસની કાર્યવાહી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી
તાજેતરમાં જ સાબરકાંઠામાં અને સુરતમાં માસુમ બાળકી પર થયેલા દુષ્કર્મ બળાત્કારના કેસમાં આરોપીઓને ઝડપી અને સખત સજા થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ કેસની કાર્યવાહી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. આ ત્રણેય કેસની ઝડપી ટ્રાયલ માટે બે ફાસ્ટ ટ્રેક કોર્ટ જજની ખાસ નિમણૂંક કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગુનેગારોને કાયદા અનુસાર કડક સજા થાય અને પીડિત પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ જજની નિમણૂંકથી તેની પુષ્ટિ થાય છે.
