મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતી સાહિત્યના 'ગુજરાત દિપોત્સવી અંક-૨૦૧૮'નું વિમોચન કર્યું
Live TV
-
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ માહિતી ખાતા દ્વારા પ્રકાશિત શિરમોર સમા વિક્રમ સંવત 2074 ના 'ગુજરાત દિપોત્સવી અંક-૨૦૧૮'નું વિમોચન કર્યું
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગરમાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યના શિરમોર સમા વિક્રમ સંવત 2074 ના 'ગુજરાત દિપોત્સવી અંક-૨૦૧૮'નું વિમોચન કર્યું હતું. માહિતી ખાતા દ્વારા ગુજરાત દિપોત્સવી અંક પ્રતિવર્ષ સાહિત્યના વિવિધ સ્વરૂપોનું સંકલન પ્રસ્તુત કરીને ગરવી ગુજરાતની ગરિમાથી અવગત કરાવવાનું મહત્વપૂર્ણ કામ કરવામાં આવે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે કલા સાહિત્ય ઇતિહાસ અને સંસ્કારનું અનોખું પ્રતિબિંબ 'ગુજરાત દિપોત્સવી અંક'માં ઝીલાતું હોય છે. મુખ્યમંત્રીશ્રીએ દિપોત્સવી અંક સ્વરૂપે સત્વશીલ સાહિત્યિક સર્જન સમયસર પ્રસ્તુત કરવા માટે માહિતી ખાતાના સંપાદક મંડળની સરાહના કરી તેમની કામગીરીને બિરદાવી હતી.
