મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શિક્ષણ વિભાગના પ્રોજેકટ્સનો સોમવારથી થશે પ્રારંભ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શિક્ષણ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનો આવતીકાલે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રારંભ થશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી વિભાવરીબેન દવે પણ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શિક્ષણ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનો આવતીકાલે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રારંભ થશે. આ પ્રસંગે શિક્ષણ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સ જેવા કે, પ્રવેશોત્સવ ૨.૦, ગુણોત્સવ ૨.૦, શાળા તત્પરતા કાર્યક્રમ, ઓન લાઇન એટેન્ડન્ટ્સ સિસ્ટમ, જ્ઞાન કુંજ ફેઝ-ર, સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશનનું લોન્ચિંગ , તેમજ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદઘાટન પણ મહાનુભાવોના હસ્તે કરાશે. ઉપરાંત વિદ્યાર્થીઓને, ટેબલેટ વિતરણ પણ કરાશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી વિભાવરીબેન દવે પણ ઉપસ્થિત રહેશે.
