મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના 3 વર્ષ પૂર્ણ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી ના વડપણ હેઠળ સરકાર ત્રણ વર્ષ પૂર્ણ કરી રહી છે. સાતમી ઓગસ્ટે રૂપાણી સરકાર સફળ ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ચોથા વર્ષ ના પ્રવેશ ટાણે રાજ્ય સરકારે પાટનગર ગાંધીનગર માં સંકલ્પ સે સિધ્ધી કી ઓર કાર્યક્રમ યોજી ઉજવણી કરવા નક્કી કર્યું હતું, પરંતુ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ના અવસાન ના કારણે કાર્યક્રમ રદ કરાયો હોવાની જાહેરાત કરાઈ હતી. આજે આ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાશે. રૂપાણી સરકાર ના રાજ્ય માં ગુજરાતીઓ ને પારદર્શી અને પ્રગતિશીલ સરકાર નો અહેસાસ થયો છે. કેમ કે અનેક વિધ પ્રજાલક્ષી નિર્ણય લેતા છેવાડા ના માનવી ને લાભ મળ્યો છે. આ કારણોસર લોકસભાની ચૂંટણી માં સતત બીજીવાર ગુજરાત ની જનતા એ ખોબલે ખોબલે મત આપતા ભાજપને 26 માંથી 26 બેઠકો મળી હતી.
