મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
Live TV
-
બોર્ડના તત્કાલિન સચિવ અનિલ પટેલને ગુજરાત રાજ્ય સેવા વર્તણૂંક નિયમો-1971ના નિયમ 9ના ભંગની ગંભીર ગેરવર્તણૂંક બદલ ફરજમોકૂફ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલિન સચિવ શ્રી અનિલ પટેલે રાજ્યના યાત્રાધામો પાવાગઢ, રામેશ્વર, બહુચરાજી અને શબરીધામ તથા દ્વારકાના પ્રોજેકટમાં ગેરરીતિ કૌભાંડ થયું હોવાનું જાણવા મળ્યુ છે. અને આ અંગે એક ખાનગી વ્યકિત સાથે ટેલિફોનિક વાતચીતમાં કરેલા આક્ષેપોની ટ્રાન્સસ્ક્રીપ્ટ અને તે સંદર્ભે તે વ્યકિત દ્વારા ACBને કરવામાં આવેલી સીધી અરજીની વિગતો ધ્યાને લેતાં બોર્ડના તત્કાલિન સચિવ અનિલ પટેલને ગુજરાત રાજ્ય સેવા વર્તણૂંક નિયમો-1971ના નિયમ 9ના ભંગની ગંભીર ગેરવર્તણૂંક બદલ ફરજમોકૂફ કરવાનો મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે અને અગાઉની તપાસ રાજ્યના વિજીલન્સ કમિશનરને સોંપવાનો નિર્ણય કર્યો છે.
