મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ લીધો મહત્વનો નિર્ણય
Live TV
-
મુસાફરોની માંગ અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે જચલપુર-સોમનાથ સ્પેશિયલ માટે ખાચરોદ સ્ટેશન, અમદાવાદ વારાણસી અને તરાણા રોડ સ્ટેશન પર અમદાવાદ-દરભંગા સ્પેશિયલ માટે રોકાણ આપશે.
આ ટ્રેનોનું વિવરણ નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 01463/01464 સોમનાથ - જબલપુર - સોમનાથ સ્પેશિયલ ટ્રેન 18 ઓક્ટોબર 2020 થી ખાચરોદ રોડ સ્ટેશન પર રોકાશે.
- ટ્રેન નંબર 01465/01466 સોમનાથ - જબલપુર - સોમનાથ સ્પેશિયલ ટ્રેન 19 ઓક્ટોબર 2020 થી ખાચરોદ રોડ સ્ટેશન પર રોકાશે.
- ટ્રેન નં. 09165/09166 અમદાવાદ - દરભંગા - અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 18 ઓક્ટોબર, 2020 થી અમદાવાદથી અને સ્ટેશન 19 ઓક્ટોબર 2020 દરભંગાથી તરાણા રોડ સ્ટેશન પર રોકાશે.
- ટ્રેન નંબર 09167/09168 અમદાવાદ - વારાણસી - અમદાવાદ સ્પેશિયલ 19 ઓક્ટોબર 2020 થી અમદાવાદથી અને 18 ઓક્ટોબર 2020થી વારાણસીથી તરાણા રોડ પર સ્ટેશન પર રોકાશે.
