મુસાફરોની સલામતી માટે સુરત એસટી વિભાગ દ્વારા નવતર પ્રયોગ
Live TV
-
ટ્રીપ માટે ડ્રાઈવર સીટ પર બેસતા પહેલા ડ્રાઈવરનું થશે બ્રેથ એનલાઈઝરથી ચેકિંગ, મુસાફરોમાં રાહતની લાગણી
ગુજરાત એસટી વિભાગ દ્વારા ,અકસ્માત રોકવા ,તેમજ મુસાફરોની સલામતી માટે ,એક નવતર અભિગમ ની શરૂઆત, કરાઇ છે. સુરત એસ ટી વિભાગ દ્વારા ,બસ ચલાવનાર ડ્રાઇવરે ,નશો કર્યો છે કે નહી ,તેની ચકાસણી કર્યા બાદ જ ,ટ્રીપ માટે ડ્રાઈવરને ,સીટ પર બેસાડવામાં આવે છે. એસટી બસ ચાલકો ,અવાર નવાર નશો કરીને ,બસ પુર ઝડપે હંકારતા હોવાની ફ્રરિયાદો ,ઉઠી હતી. ત્યારે ,સુરત એસટી વિભાગ દ્વારા ,બસ ચલાવનાર ડ્રાઇવરે ,દારૂ પીધો છે કે નહી ,તે ચકાસણી બાદ ,ડ્રાઇવરની સીટ પર બેસાડવામાં આવે છે. ડ્રાઇવિંગ સીટ ઉપર બેસતા પહેલા થશે, બ્રેથ એનલાઇઝરથી ,ચેકિંગ. જોકે બ્રેથ એનેલાઇઝર રિપોર્ટ નેગેટિવ આવશે, તો જ ,તેમને બસ ચલાવવા દેવામાં આવશે ,અને રિપોર્ટ પોઝીટીવ આવશે ,તો બસ હંકારવા દેવામાં આવશે નહીં ,તેવો નિર્ણય લેવાતા ,મુસાફરોએ પણ રાહત અનુભવી છે
