મોડાસાના પોળ વિસ્તારમાં જુના મકાનનું સમારકામ કરાઈને લાઈબ્રેરીની કરાઈ શરૂઆત
Live TV
-
સામાન્ય રીતે ઘર જુનૂ થતાં તેને તોડી પાડીને નવું મકાન બનાવવાનો વિચાર આવતો હોય છે. પરંતુ ઘરની જુની યાદોને પોતાના સ્વજનો સાથે જોડી રાખવાનો વિચાર ખુબ ઓછા લોકોને આવતો હોય છે. ઘરની જૂની સ્મૃતિને જાળવી રાખવાના ઇરાદે મોડાસાના વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા ડોક્ટર જયેશ શેઠે જૂના મકાનમાં સમારકામ કરીને તેમાં જ લાયબ્રેરી શરૂ કરી દીધી છે. હવે તેમનું જૂનૂ મકાન ગ્રંથાલયમાં ફેરવાઇ ગયું છે. લાયબ્રેરીમાં 554 જેટલા પુસ્તકોનો સંગ્રહ છે .તબીબ પરિવારે મોડાસા શહેરના પોળ વિસ્તારમાં જૂના મકાનમાં લાયબ્રેરી બનાવીને સ્થાનિક લોકોને એક ભેટ આપી છે. અંદાજે 300 વર્ષ જુના મકાનમાં લાયબ્રેરી શરૂ થઇ ચુકી છે. બનાવીને સંસ્કારોનું સિંચન, ધાર્મિક ભાવન વધે અને લોકો વાંચતા થાય તે હેતુથી આ લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
