મોરબીની શાન સમાન ઐતિહાસિક ઝૂલતા પુલને મેન્ટેનન્સ બાદ પુનઃ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો
Live TV
-
મોરબીની શાન સમાન ઐતિહાસિક ઝૂલતા પુલને મેન્ટેનન્સ બાદ ફરીથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મોરબીમાં રાજાશાહી વખતમાં બનેલો ઝૂલતો પુલ ભૂકંપમાં નુકસાન પામ્યો હતો. ત્યારબાદ ઓરેવા ગ્રુપને મેન્ટેનન્સની જવાબદારી સોપવામાં આવી હતી. ૨ કરોડના ખર્ચે ઝૂલતા પુલનું 6 મહિના સુધી સમારકામ કરવામાં આવ્યું હતું.
સમારકામ પૂર્ણ થતાં ઓરેવા ગ્રુપના એમ.ડી.જયસુખભાઈ પટેલે ઝુલતા પુલને ખુલ્લો મુક્યો હતો. મોરબીવાસીઓ તેમજ પ્રવાસીઓ નવા વર્ષથી ઝુલતા પુલનો આનંદ માણી શકશે.
