મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્રએ માર્ગદર્શિકા જાહેર કરી
Live TV
-
ઉનાળાના કારણે હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. ત્યારે મોરબી જિલ્લાના નાગરિકોને સન સ્ટ્રોકથી બચવા માટે આરોગ્ય તંત્રએ માર્ગદર્શિકા જાહેર કરી છે. મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં ગરમીથી રક્ષણ મેળવવા માટે સફેદ સુતરાઉ કપડા, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે તેમજ ડિહાઇડ્રેશનથી બચવા માટેના ઉપાય પણ દર્શાવવામાં આવ્યા છે. ગરમીથી બચવા માટે શક્ય તેટલું બપોરના સમયે બહાર જવાનું ટાળવાનો અનુરોધ આરોગ્ય અધિકારીએ કર્યો છે.
