રવિવારે રાજ્યમાં કોરોના વાઇરસના 230 કેસ નોંધાયા, અમદાવાદમાં 18 લોકોના મોત
Live TV
-
અમદાવાદમાં 178 કેસ નોંધાતા કુલ આંકડો થયો 2181. રાજ્યમાં કુલ 3301 પોઝિટિવ કેસ
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગઇકાલે છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્યમાં નોંધાયેલા 230 કેસ પૈકી 178 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા 18 મરણ અમદાવાદમાં છે. જે ચિંતા જનક બાબત છે. તો રાજ્યમાં કુલ પોઝિટીવ કેસનો આંક 3 હજાર 301 પર પહોંચ્યો છે. અને કુલ મરણ 151 થયા છે. અમદાવદમાં નોંધાયેલા કુલ કેસની વાત કરીએ તો પોઝિટીવ કેસનો આંક બે હજાર 181 પર પહોંચ્યો છે. અને સુરતમાં 526 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે મ્યુનિસીપલ કમિશ્નર વિજય નેહરાએ અમદાવાદમાં વધી રહેલા કેસને લઇને ચિંતા વ્યક્ત કરી હતી
