રસ્તા પરથી નિહાળી શકાશે સ્ટેચ્યુ ઓફ યુનિટી
Live TV
-
હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુમાં નર્મદા નદીના પટમાં ઉંચા ઉંચા પથ્થરો તોડી ને નદીનો પટ સમતળ બનાવવા 50 જેટલા જેસીબી કામે લાગી ગયા છે. આ જેસીબી પથ્થરો તોડીને ,જ્યાં ખાડા છે, ત્યાં પુરાણ કરી રહ્યા છે.
સરદાર સરોવર નર્મદા બંધ, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે, વધુ પ્રવાસીઓ આવે તે માટે હજુ અનેક આકર્ષણો ઉભા કરવામાં આવશે, જેમાં હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુમાં નર્મદા નદીના પટમાં ઉંચા ઉંચા પથ્થરો તોડી ને નદીનો પટ સમતળ બનાવવા 50 જેટલા જેસીબી કામે લાગી ગયા છે. આ જેસીબી પથ્થરો તોડીને ,જ્યાં ખાડા છે, ત્યાં પુરાણ કરી રહ્યા છે. ત્રણ મહિનામાં સ્ટેચ્યુની આજુબાજુના વિસ્તારમાં પથ્થરો તોડીને પાણી ભરાશે. હાલમાં હવાઈ માર્ગે હેલીકૉપટર દ્વારા સ્ટેચ્યુ જોવા જવાય છે ,રસ્તા પર થી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી શકાય છે. હવે કેપ્સ્યુલ બોટ મારફતે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા મળશે. કેપ્સ્યુલ બોટનું એક આકર્ષણ આગામી ત્રણ થી ચાર મહિનામાં ઉભું કરાશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ સરદાર સરોવર નર્મદા બંધ થી 12 કિમિ દૂર ગરુડેશ્વર ખાતે બની રહેલા વિયર ડેમ સુધી 12 કિમિ લાબું અને 35 મીટર ઉંડુ સરોવર બનશે.
