રાજકોટ : રેલવે તથા જંક્શન વિસ્તારમાંથી ભિક્ષુકો, નિરાધારો, દિવ્યાંગોને શેલ્ટર હોમમાં પોલીસે શિફ્ટ કર્યા
Live TV
-
રાજકોટ પોલીસે માનવ સેવાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ
રાજકોટના રેલવે તથા જંક્શન વિસ્તારમાં રસ્તા તથા ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકો, ભિક્ષુકો અને દિવ્યાંગોને શેલ્ટર હોમ ખાતે પ્રદ્યુમનનગર પોલીસે શિફ્ટ કર્યા હતા. રાજકોટ પોલીસે ટ્વીટર પર ટ્વીટ કરી આ જાણકારી શેર કરી છે..રાજકોટમાં આજે 31 માર્ચે કોરોના વાઇરસના 16 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ તમામના લોહીના સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરના 4, રૂરલના 2 અને બીજા અન્ય જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે.લોકડાઉનનો ભંગ કરનાર લોકો સામે પોલીસ દ્વારા પગલા પણ ભરવામાં આવ્યા છે.ઘણા સ્થળો પણ પોલીસનો માયાળુ સ્વભાવ પણ જોવા મળ્યો જેમાં પોલીસ ઘણી જ સમજતાથી લોકોને ઘરમાં રહેવા સમજાવી રહી છે. તો
ભૂખ્યા માટે ભોજનની વ્યવસ્થા કરી રહી છે. જ્યારે એક સ્થળે તો મહિલા પોલીસે એક વૃદ્ધ મહિલાને પોતાના હાથેથી જમાડ્યા પણ હતા.
