રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા, CM રૂપાણીએ સ્થિતિનો તાગ મેળવ્યો
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોન વાતચીત કરી સ્થિતિનો મેળવ્યો તાગ.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા-રિક્ટર સ્કેલ પર નોંધાઈ લગભગ 4.8ની તિવ્રતા-લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. રાજકોટ નજીક 4.8નો તીવ્રતાનો ભૂકંપના આંચકો આવતાં લોકો ઘરમાંથી બહાર દોડી ગયા હતા. ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
કોલીથડ ગામે શાળાની છત તૂટી પડી હતી. આજે સવારે આવેલા ભૂકંપના પગલે ગોંડલના કોલીથડમાં છત ધરાસાઈ થઈ હતી. ગોંડલના કોલીથડ ગામે હાઇસ્કૂલની છત ધરાશાઈ થઈ હતી. સદનસીબે સ્કૂલ બંધ હોવાથી કોઈ જાનહાની થવા પામી નથી.
