રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ ગુનાઓની આપી માહિતી, જનતાને જાગરૃક રહેવા કરી અપીલ
Live TV
-
ટુ વ્હીલર પર એક અને ફોર વ્હીલરમાં બેથી વધુ લોકો બેસેલા જણાશે તો કાર્યવાહી થશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. નાગરિકોને અપીલ છે કે, લૉકડાઉનના ભંગના મામલા જણાય તો પોલીસને 100 નંબર પર જાણ કરવામાં આવે, જેથી પોલીસ કાર્યવાહી થઈ શકે.
100 નંબર પર જણાવવામાં આવ્યા હોય તેવા શુક્રવારે 29 કેસ નોંધાયા હતા. પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને અંતરિયાળ અને સાંકડા વિસ્તારમાં બાઈક પરથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. રમઝાન માસમાં નમાજ માટે ભેગા ન થવાની પણ તેમણે અપીલ કરી હતી.
સરદાર નગર પોલીસ સ્ટેશનના પોલીસ પર હુમલો કરનાર લોકોની પાસા હેઠ ધરપકડ કરાઈ છે. પાટણ અને રાજકોટમાં પણ પોલીસ ઉપર હુમલાની ઘટના બની હતી, જે અંતર્ગત આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરાઈ છે.
વધુમાં તેમણે રાજ્યમાં નોંધાયેલા ગુનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 35 આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર 37 એકાઉન્ચ બંધ કરવામાં આવ્યા છે.
