રાજ્યના પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે વિકસી રહ્યું છે ઈકો ટુરીઝમ
Live TV
-
રાજ્યના પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લાનો જંગલ વિસ્તાર અને નર્મદા ડેમ બની રહ્યું છે ઈકો ટુરીઝમનું બેસ્ટ ડેસ્ટીનેશન
ચોમાસા દરમિયાન નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા ઝરવાણી તેમજ શૂલ પાણેશ્વરનો જંગલ વિસ્તાર 16 કળાએ ખીલી ઉઠે છે. કુદરતના ખોળા ખુંદવા આવેલા પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં હરવા ફરવા માટે દૂર દૂરથી આવે છે. ત્યારે પ્રવાસીઓને સ્થાનિક ગ્રામીણો રોટલા, શાક અને દેશી ભોજન પીરસીને સારી રોજગારી મળેવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સખી મંડળની મહિલાઓને અહીંયા રોજગારી મળે તે માટે મદદ પણ કરવામાં આવી રહી છે. હાલના સમયમાં રાજ્યના પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લાનો જંગલ વિસ્તાર અને નર્મદા ડેમ ઈકો ટુરીઝમનું બેસ્ટ ડેસ્ટીનેશન બની રહ્યું છે.
