રાજ્યની શાળાઓમાં નવરાત્રી વેકેશન કરાયું રદ્દ, દિવાળી વેકેશન યથાવત રહેશે
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠક મળી. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટા નિર્ણયમાં શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલું નવરાત્રી વેકેશન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણ કાર્ય પર અવળી અસર પડતી હોવાથી અનેક સંચાલકોએ આ વેકેશનનો વિરોધ કર્યો હતો. આ બેઠકમાં ઉનાળુ વેકેશન પણ નહીં લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ દિવાળી વેકેશન 21 દિવસનું કરવામાં આવ્યું છે. આ સાથે કેબિનેટમાં અછત રાહતની સમીક્ષા કરવામાં આવી છે. પત્રકાર પરિષદને સંબોધતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે માહિતી આપી હતી.
