રાજ્યપાલના હસ્તે 27 મેના રોજ બે મહાનુભાવોને એનાયત કરાશે ડી.લીટની માનદ પદવી
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પાટણ યુનિવર્સિટીમાં આવતીકાલે બે મહાનુભાવોને ડી.લીટની માનદ પદવી અને 38 છાત્રોને સુવર્ણ ચંદ્ર અપાશે. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડોક્ટર રોહિત દેસાઈએ જણાવ્યુ હતું કે, યુનિવર્સિટી દ્વારા દાન થકી વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવે છે.
પરંતુ કેટલાંક વિષયોમાં દાતાઓનું દાન ઉપલબ્ધ નહીં થઈ શકતા આવા 38 તેજસ્વી વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા સુવર્ણ ચંદ્રક એનાયત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જાણીતા કેળવણીકાર અને લેખક ડોક્ટર મફતલાલ પટેલ અને સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા વક્તા ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામીને ડીલીટની માનદ પદવી એનાયત કરશે.
