રાજ્યભરમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
Live TV
-
પ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં ભક્તો માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી
રાજ્યભરમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં ભક્તો માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. કોરોના મહામારીના પગલે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ભક્તો પાસેથી વિશેષ આગ્રહ રાખવામાં આવ્યો છે. ભગવાન સોમનાથ મહાદેવના દર્શને આવતા દરકે શ્રદ્ધાળુઓને કોરોના અંતર્ગત તમામ માર્ગદર્શિકાનું સચોટ પણે પાલન કરવાનું રહેશે,., જે મુજબ મંદિરમાં પ્રવેશનાર દરેક ભક્તોએ મોઢા પર માસ્ક પહેરવું., સોશિયલ ડિસન્ટન્સ જાળવવું અને સેનેટાઈઝ થયા બાદ જ તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે મંદિરમાં દર્શનનો સમય બે કલાક વધારાયો છે.
