રાજ્યમાં કોરોનાના નવા 1243 કેસ નોંધાયા, 09 દર્દીઓનાં મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1243 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 1518 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 86.76 % થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,203 છે, જેમાંથી 16,120 સ્ટેબલ છે અને 83 વેન્ટિલેટર પર છે. આજે રાજ્યમાં 09 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 3550 પર પહોંચી ગયો છે.રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,49,194 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,29,441 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં કુલ 51,662 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
