રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્, 735 નવા કેસ નોંધાયા
Live TV
-
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 735 નવા કેસ નોંધાયા છે અને 17ના મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 423 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,18,464 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 8573 છે, જેમાંથી 69 વેન્ટિલેટર પર અને 8504 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં 26,323 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે, તો 1962 લોકોના મોત થયા છે.
અમદાવાદ જિલ્લામાં 24 કલાકમાં 183 નવા કેસ નોંધાયા છે, તો સુરત જિલ્લામાં પણ 241 નવા કેસ નોંધાયા છે અને વડોદરા જિલ્લામાં 65 નવા કેસ નોંધાયા છે અને રાજકોટમાં નવા 42 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17 લોકોના કોરોનાના કારણે મોત થયા છે, જેમાંથી અમદાવાદ જિલ્લામાં 7ના, સુરત જિલ્લામાં 6ના, અરવલ્લીમાં 2ના, બનાસકાંઠામાં 1 અને ખેડામાં 1નું મોત થઈ રાજ્યમાં કુલ 17 દર્દીઓના મોત થયા છે.
