રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1110 કેસ નોંધાયા, 753 દર્દીઓ રિકવર તો વધુ 21 દર્દીઓના મૃત્યુ
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કુલ 1,110 નવા કેસ નોંધાયા તો વધુ 21 દર્દીઓના દુ:ખદ નિધન થયા છે...સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 753 દર્દીઓએ કોરોનાને માત આપી છે....રાજ્યમાં અત્યાર સુધી 6,42,370 ટેસ્ટ કરવામાં આવ્યા છે...
વધુ 21 દર્દીઓના દુ:ખદ મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2326 પર પહોંચ્યો છે.રાજ્યમાં હાલ 13,131 કેસ સક્રિય છે, જેમાંથી 85 દર્દીઓ વેન્ટિલેટર પર છે...રાજ્યમાં અત્યાર સુધી કુલ 40,365 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે..
છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશનમાં 201 નવા કેસ નોંધાયા, 7 દર્દીઓના મૃત્યુ થયા તો સુરત ગ્રામ્યમાં 98 નવા કેસ નોંધાયા અને વધુ 5 દર્દીઓના દુ:ખદ મૃત્યુ થયા
અમદાવાદ કોર્પોરેશનમાં 152 નવા કેસ સાથે 3 દર્દીઓના નિધન થયા, તો અમદાવાદ ગ્રામ્યમાં 11 નવા કેસ કેસ નોંધાયા
વડોદરા કોર્પોરેશનમાં 79 નવા કેસ અને 1 દર્દીનું નિધન થયું, તો ગ્રામ્યમાં 13 નવા કેસ નોંધાયા
રાજકોટ કોર્પોરેશનમાં 52 નવા કેસ તો ગ્રામ્યમાં 20 નવા કેસ નોંધાયા
