રાજ્યમાં ભર ઉનાળે ભારે વરસાદ: કુલ નવનાં મોત
Live TV
-
ક્યાંક ભારે પવન સાથે વાવાઝોડુ તો ક્યાંક ભારે વરસાદથી થયેલા ભારે નુકસાન પર પ્રધાનમંત્રીએ કરી વળતરની જાહેરાત
રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેને લઇને ભર ઉનાળે રાજ્યભરમાં ભર ચોમાસા જેવા માહોલ જામ્યો છે. ક્યાંક કરા સાથે તો ક્યાં ગાજ વીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. પ્રધાનમંત્રીએ કમોસમી ભારે વરસાદથી થયેલા નુકસાન પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે પ્રશાસન સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટ કહ્યું કે પીડિત પરિવારો સાથે મારી સંવેદનાઓ છે. આ સાથે પ્રધાનમંત્રીએ ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સિવાય ઘાયલોને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે.
