રાજ્યમાં મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન માટે અમદાવાદમાં 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023'નો આજથી થયો પ્રારંભ
Live TV
-
કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા હસ્તે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે વૈશ્વિક મત્સ્યપાલન પરિષદનું ઉદ્ઘાટન કરાયું
અમદાવાદમાં આગામી 21 અને 22 નવેમ્બરના રોજ મત્સ્યઉદ્યોગને પ્રોત્સાહન આપવા 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023' યોજાશે. જેનું આજે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે સેમિનારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ ઉદ્ધાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં અનેક દેશો ઉપરાંત દેશના તમામ રાજ્યો ભાગ લેશે. સમારંભના બે દિવસ દરમિયાન એક્ઝિબિશન સ્ટોલ અને ફૂડ મેળાનો લાભ તમામ મુલાકાતીઓ લઈ શકશે. આ કોન્ફરન્સ યોજવાનો ઉદ્દેશ ભારતીય મત્સ્યપાલન અને જળચર ઉછેર ક્ષેત્ર માટે આગળનો માર્ગ તૈયાર કરવાનો છે.
રાજ્યમાં મત્સ્યઉદ્યોગને પ્રોત્સાહન આપવા આજથી બે દિવસ અમદાવાદમાં 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા' યોજાશે. મત્સ્યપાલન ક્ષેત્રમાં ઉંડી સમજ આપવા ટેકનિકલ સત્રોનું આયોજન કરવામાં આવશે. મત્સ્યપાલન અને જળચર ઉછેર ક્ષેત્ર માટે તૈયાર પરિષદ દરમિયાન રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત આ પરિષદમાં ગુજરાતની ઇનલેંડ જળાશય લીઝિંગ પોલિસીની અને ગુજરાત રાજયની સત્તાવાર માછલીઓની જાહેરાત પણ કરાશે
