રાજ્યમાં સાયક્લોનીક એર સરક્યુલેશન: 4,5 અને 6 જુલાઇ દરમિયાન ભારે વરસાદની આગાહી
Live TV
-
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન સીઝનનો 16 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે...ગુજરાત રાજ્યમાં સાયક્લોનીક એર સરકર્યુલેશનના કારણે આગામી ચાર, પાંચ અને છ જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતા છે.. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે...આ દિવસો દરમિયાન માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે....જ્યારે અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ સામાન્ય રહેવાની સંભાવના છે...
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક અને વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એક સમયે 128 મીટર સુધી પહોંચી હતી... આ સમયે સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથકોને કેટલાય દિવસોથી સતત ૨૪ કલાક ચલાવવામાં આવી રહ્યા હતા...જેનાથી રોજની 1200 મેગાવોટ એટલે કે છ કરોડ રૂપિયાની વીજળી ઉત્પન્ન થતી હતી....પરંતુ, ત્યારબાદ ઉપરવાસમાંથી પાણીની આવક સતત ઘટતા આજે નર્મદા ડેમની જળ સપાટી 121.92 મીટરે પહોંચી છે...
