રાજ્યમાં ૫૧૬ કેસ પૈકી ૪૨૮ કેસ થયા લોકલ ટ્રાન્સમીશનના કારણે
Live TV
-
સમગ્ર ગુજરાતમાં કોરોનાના કુલ ૫૧૬ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન નવા ૪૮ કેસ નોંધાયા છે.. અને અમદાવાદમાં સારવાર લઇ રહેલી એક મહિલાનું મોત નીપજ્યુ હતુ.. સમગ્ર ગુજરાતમાં કુલ ૫૧૬ કેસ નોંધાયા છે.. જે પૈકી સૌથી વધારે ૨૮૨ જેટલા કેસ અમદાવાદમાં નોંધાયા છે..અને વડોદરામાં ૧૦૧ કેસ નોંધાયા છે.. તો તેમણે આર્યુવેદિક અને હોમિયોપેથિકની દવાનો રોગપ્રતિકારક દવા તરીકે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યુ છે.. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જંયતિ રવિએ વધુમાં જણાવ્યુ કે કુલ ૫૧૬ કેસ પૈકી ૪૨૮ કેસ લોકલ ટ્રાન્સમીશનના કારણે થયા છે.. તો માસ્ક અંગે તેમણે જણાવ્યુ કે એન ૯૫ માસ્ક ન હોય તો સાદા કપડાનું માસ્ક પણ પહેરી શકાય છે..વધુમાં, આજે અમદાવાદમાં 16, આણંદમાં એક, વડોદરામાં 6 જેટલા કેસ નોંધાયા. જેમાં 17 પુરૂષ અને 6 મહિલાઑનો સમાવેશ થાય છે. ️આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત ગુજરાતમાં કુલ 516 પોઝિટિવ કેસ, 24 લોકોના મોત નિપજ્યાં છે. આ પૈકી 4 દર્દી વેન્ટીલેટર પર, 444 સ્ટેબલ, 44 લોકો સાજા થયા છે
