રાજ્ય વનવિભાગ હસ્તકની વર્ગ-૩ની વનરક્ષક, બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ માટે સીધી ભરતી કરાશે
Live TV
-
રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના વનવિભાગ હસ્તકની વર્ગ-૩ની વનરક્ષક, બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી જગદીશ વિશ્વકર્માએ મીડિયાને વિગતો આપતા કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે અઆશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે. તેમણે ઉમેર્યું કે, આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે. જેમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તારીખ ૧/૧૧/૨૦૨૨ થી તારીખ ૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે.
આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
