રાજ્ય સરકારની કેબિનેટ મિટિંગમાં લેવાયા કેટલાક મહત્ત્વના નિર્ણય
Live TV
-
રાજ્યમાં શાળા અને ટ્યુશન ક્લાસ દ્વારા પ્રવાસમાં લઈ જતી બસો રાત્રીના 11 થી સવારના 6 વાગ્ય સુધી પ્રવાસ કરી શકશે નહી.
રાજ્ય સરકારે આજે કેબિનેટમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા હતા. આ અંગે માહિતી આપતાં ઉપ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ડાંગમાં ઊંડી ખીણમાં બસ પલ્ટી ખાતાં 10 બાળકોનાં મૃત્યુ થયાં હતાં તેના પગલે નિર્ણય કરાયો છે કે રાજ્યમાં શાળા અને ટ્યુશન ક્લાસ દ્વારા પ્રવાસમાં લઈ જતી બસો રાત્રીના 11 થી સવારના 6 વાગ્ય સુધી પ્રવાસ કરી શકશે નહી.. આ ઉપરાંત રાજ્યમાં ઓછા વરસાદને લીધે સરકાર દ્વારા જાહેર અછતગ્રસ્ત 96 તાલુકાના 22 લાખ ખેડૂતોને રોકાણ ખર્ચ માટે 2280 કરોડની સહાય માટે ફૉર્મ ભરવાની મુદતમાં વધારો કરવાની ખેડૂતોએ માગણી કરી હતી. તે મુદ્દત 14 જાન્યુઆરી સુધી કરી દેવામાં આવી છે.
