રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ખેડૂતોને પાક નુકશાનની થશે ચૂકવણી
Live TV
-
સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિને લઇને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય- પાક અને જમીન ધોવાણ તેમજ પશુઓના મોત અંગે સર્વે કરીને ખેડૂતોને અપાશે વળતર
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક મળી હતી. બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે તથા વરસાદ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
કૃષિ મંત્રી આર સી ફળદુએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદને કારણે જમીન ધોવાણ, પાક ધોવાણ અને પશુઓના મોત અંગે સર્વે કરીને પ્રાથમિક સર્વેના આધારે ખેડૂતો અને પશુપાલકોને નુકશાનની ચુકવણી કરવામાં આવશે. જે અંગે સલંગ્ન વિભાગોને સુચન કરાયુ છે.
