રાજ્ય સરકારે એમ્નેસ્ટી સ્કીમ- 2017ની મુદતમાં કર્યો વધારો
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વીજ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલા વિવિધ કક્ષાના વીજ જોડાણોમાં ઘર વપરાશના બી.પી.એસ. વીજ ગ્રાહકોને વીજ બિલની રકમના પચાસ ટકા અને વ્યાજમાં સંપૂર્ણ માફી માટે એમ્નેસ્ટી સ્કીમ-2017 જાહેર કરવામાં આવી હતી.
જેમાં હવે બિનગ્રાહકો, વાણિજ્ય, ઔદ્યોગિક અને વોટર વર્કસના વીજગ્રાહકો ,તેમજ સ્ટ્રીટ લાઈટ અને જનરલ પરપર્ઝ લાઈટ ટેરિફ ધરાવતા વીજગ્રાહકોને સમાવી લેવામાં આવ્યા છે. હવે તેમને પણ વ્યાજમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે, કે, 30 સપ્ટેમ્બર સુધીમાં ,એક લાખ 36 હજાર ગ્રાહકોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. તેમજ ,વીજ વિતરણ કંપનીઓને ,રૂપિયા 51.88 કરોડની ,વસુલાત મળી છે તેમજ આ અંગે રાજ્યમાં 396 માફી મેળાઓ પણ યોજાયા છે.
