રાજ્ય સરકાર દ્રારા બિનખેતી પ્રક્રિયા માટે ઓનલાઈન પ્લેટફોર્મ ઉભુ કરાયું
Live TV
-
લાભ પાંચમથી રાજ્યના તમામ કલેકટર તંત્રમાં બિન ખેતીની મંજુરી ઓનલાઈન આપવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ છે કે બિનખેતી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે રાજ્ય સરકાર દ્રારા ઓનલાઈન પ્લેટફોર્મ ઉભુ કરવામાં આવ્યુ છે. આ લાભ પાંચમથી રાજ્યના તમામ કલેકટર તંત્રમાં બિન ખેતીની મંજુરી ઓનલાઈન આપવામાં આવશે. મોરબી પાસેના ચરાવડા ખાતે ચાલિ રહેલ, દેવી ભાગવત સપ્તાહમાં ઉપસ્થીત મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે રાજ્ય સરકાર પારદર્શકતા, સંવેદના, નિર્ણાયકતા અને પ્રગતીશીલતાના સિધ્ધાંતો ઉપર ચાલે છે. સૌની યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યુ હતુ કે આ યોજનાના બીજા તબક્કાના કામો આગામી જાન્યુઆરી માસ સુધીમાં પુર્ણ થઈ જશે.
