રોજગાર તાલીમલક્ષી વર્ગો કરાયા શરૂ
Live TV
-
સરકાર દ્વારા આ લોકોને, ખાવા-પીવાની તેમજ રહેવાની સગવડ પૂરી પાડવામાં આવશે.
લોકોને રોજગારી મળે અને લોકો પગભર થાય તે મુખ્ય હેતુ માટે સરકાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે, ત્યારે રોજગાર કચેરી સુરેન્દ્રનગર દ્વારા, એક મહિનાનો તાલીમ વર્ગ રાખવામાં આવ્યો છે. આ વર્ગમાં જે લોકોની આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો, અને એન.ડી.આર.એફ.માં પ્રેક્ટિકલમાં પસંદગી થઈ હોય અને લેખિત પરીક્ષા આપવાની હોય, તેવા ત્રીસ લોકોને રોજગાર કચેરી દ્વારા તાલીમ આપવામાં આવે છે. દિવસ દરમિયાન આઠ કલાકની તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત સરકાર દ્વારા આ લોકોને, ખાવા-પીવાની તેમજ રહેવાની સગવડ પૂરી પાડવામાં આવે છે.
