લૉકડાઉનની સ્થિતિમાં સોમનાથ મહાદેવના 2.5 કરોડ ભાવિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યા દર્શન
Live TV
-
સમગ્ર વિશ્વમાં અને ભારત તેમજ ગુજરાતમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 2400ને પાર પહોંચી ચૂકી છે. જોકે ગુજરાતના ધાર્મિક સ્થળો કોરોના મુક્ત રહ્યાં છે. ત્યારે દેશના પ્રથમ જ્યોર્તિલિંગ એવા યાત્રાધામ સોમનાથ ખાતે એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
આ સંજોગોમાં સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ,ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ભાવિકોને સોમનાથ મહાદેવના દર્શન કરાવવામાં આવી રહ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ દરમિયાન અંદાજે 2.5 કરોડ ભાવિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લ્હાવો લઇ રહ્યા છે.
