લોથલમાં 500 કરોડનાં ખર્ચે આધુનિક મેરિટાઈમ કોમ્પલેક્ષ બનશે-મનસુખ માંડવિયા
Live TV
-
ગિફટ સીટીમાં મેરિટાઈમ પાર્ક બનશે
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટીમાં, ડિપાર્ટમેન્ટ ઓફ મેરીટાઈમ મેનેજમેન્ટના ઉપક્રમે ,મેરિટાઈમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ,કોન્ફરન્સની શરૂઆત કરી હતી. ભારત અને વિશ્વની દ્રષ્ટિએ ,રાજ્યમાં પોર્ટ અને એલાયડ સેક્ટરની ઉભરતી તકો ,અને પડકારો ,વિષય પર આયોજિત કોન્ફરન્સમાં ,ત્રણ દિવસ મેરિટાઈમને લગતા ,જુદા જુદા મુદ્દાઓ પર, નિષ્ણાતો દ્વારા ,ચર્ચા કરવામાં આવશે.ગુજરાતનો દરિયા કિનારો ,1600 કિલોમીટર જેટલો લાંબો છે ,ત્યારે આ ક્ષેત્રમાં ,ઘણીબધી વિક્સની તકો રહેલી છે.ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું ,કે, ભારતનો મેરિટાઈમનો પાંચ હજાર વર્ષ જૂનો ,ગૌરવયુક્ત ઇતિહાસ રહ્યો છે. વધુમાં જણાવ્યું હતું ,કે , આવનારા દિવસમાં ,લોથલમાં મેરિટાઇમ મ્યુઝીયમ ,અને ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મેરિટાઇમ બનાવવામાં આવશે.કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યા , મેર્રિટાઇમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ ,તેમજ વિદ્યાર્થીઓ ,ઉપસ્થિત રહ્યા હતા
