વડોદરામાં યોજાશે ભવ્ય આત્મીય યુવા મહોત્સવ, 2 લાખથી વધુ યુવાનો લેશે ભાગ
Live TV
-
યુવા મહોત્સવની માહિતી આપવા યોજાઇ પત્રકાર પરિષદ
નવા વર્ષનાં પ્રારંભે જ વડોદરામાં વિશ્વભરનાં લાખો યુવાનોનો મેળાવડો થવા જઇ રહ્યો છે. બીજી જાન્યુઆરીથી 5મી જાન્યુઆરી સુધી વડોદરાનાં દરજીપુરા ખાતે પાંજરાપોળની વિશાળ જગ્યામાં ભવ્ય આત્મીય યુવા મહોત્સવનો પ્રારંભ થશે. યુવા મહોત્સવની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી.
આગામી દિવસો વડોદરામાં યોજાનાર આત્મીય યુવા મહોત્સવની માહિતું આપવા યોજવામાં આવેલ પત્રકાર પરિષદ માં સંતો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. યુવા મહોત્સવમાંજેમાં દેશ વિદેશનાં આશરે 2 લાખથી વધુ યુવાનો ભાગ લેશે. અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ તેમજ ન્યૂઝીલેન્ડ સહિત 26 દેશોથી યુવક યુવતીઓ ભાગ લેવાં વડોદરા આવશે. મહોત્સવમાં જાણીતાં સંતો શ્રી શ્રી રવિ શંકર, પુરુષોત્તમપ્રિય મહારાજ, અવધેશાનંદજી, દ્વારકેશ લાલજી, વ્રજકુમારજી પધારશે. રાજનેતાઓમાં જેપી નડ્ડા, સચિન પાયલોટ, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજરી આપશે.
