સોમનાથ મહાદેવના દર્શને આવતા દર્શનાર્થીઓની સુવિધામાં થશે વધારે
Live TV
-
216 રૂમનું અતિથિગૃહ પણ 95 કરોડના ખર્ચે થશે તૈયાર
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને આવતા દર્શનાર્થીઓ માટે સુવિધામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. સોમનાથ ટ્રસ્ટની મળેલી બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી મંદિરમાં કેટલીક સુવિધા ઉભી કરાશે. એક સાથે સાત હજાર દર્શનાર્થીઓ દર્શન કરી શકે તે માટે તિરૂપતિ બાલાજી જેવું પ્લાઝા બનાવવામાં આવશે.
આ સાથે મંદિરના પરિસરમાં શિવજીની સાથે પાર્વતીનું પણ મંદિર તૈયાર કરાશે. આટલું જ નહીં 216 રૂમનું અતિથિગૃહ પણ 95 કરોડના ખર્ચે તૈયાર કરવાનું આયોજન છે. આ મંદિર અને અતિથિગૃહના નિર્માણ કાર્યમાં સરકાર ઉપરાંત સંસ્થાઓ, ક્લબ અને ઉદ્યોગપતિઓનો પણ સહયોગ લેવામાં આવશે.
