વલસાડ: ત્રણ દિવસીય ઉદવાડા મહોત્સવનું આયોજન
Live TV
-
દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા અને પોતાની કાલીઘેલી વાણીથી દરેકમાં જાણીતી બનેલી એવી પારસી કોમનું ધર્મસ્થાન એટલે વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે આવેલું ઉદવાડા ગામ. જ્યાં પારસીઓનું અગ્નિનું પવિત્ર સ્થળ આવેલું છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલી પારસી પ્રજા શાંતિપ્રિય અને વિનોદ પ્રજા તરીકે જાણીતી છે. જો કે પારસી સમાજના નવયુવાનોને તેમની સંસ્કૃતિ અમને તેમના વડવાઓની જીવનશૈલી અને સંસ્કૃતિની જાણકારી મળી રહે તે માટે છેલ્લા બે વર્ષથી ઉદવાડા ગામ ખાતે ત્રણ દિવસીય ઉદવાડા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેને અનુલક્ષી આ વર્ષે પણ ઉદવાડા ગામ ખાતે આજ થી ત્રણ દિવસ ઉદવાડા મહોત્સવ ની ઉજવણી થશે. જેમાં પ્રથમ દિવસે એટલે કે 27 ડિસેમ્બરના રોજ મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીના હસ્તે આજે સાંજે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે અને કાર્યક્રમના સમાપન 29 ડિસેમ્બર ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજરી આપશે.
